Warning: file_exists(): open_basedir restriction in effect. File(/opt/a2-optimized/wordpress/Optimizations.php) is not within the allowed path(s): (/www/wwwroot/deargujarat.com/:/tmp/) in /www/wwwroot/deargujarat.com/wp-content/plugins/a2-optimized-wp/A2_Optimized_OptionsManager.php on line 22
અકસ્માતમાં કારના ચિંથરા ઉડી ગયા, દીકરીને મળવા જતાં માતાનું કરુણ મોત - DEAR GUJARAT

ધ્રાંગધ્રા-અમદાવાદ હાઈ-વે પર ધ્રુમઠ ચોકડીએ બપોરના સમયે મુંબઈથી આવતી કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાય હતો. જેમાં બોમ્બેથી કચ્છ દીકરીને મળવા જતા માતાનું પુત્રની નજર સામે મોત થયું હતું. જ્યારે પુત્ર ઇજાગ્રસ્ત થતા સારવાર માટે લઇ જવાયા હતા. આ અકસ્માત સર્જીને ટ્રકચાલક ફરાર થઇ ગયો હતો. ધ્રાંગધા અમદાવાદ હાઈ-વે પર અવાર નવાર અકસ્માતના બનાવો બનતા હોય છે. જેમાં નાની મોટી ઇજાઓથી લઇ લોકોના મૃત્યુના બનાવો પણ સામે આવતા હોય છે. ત્યારે આવો જ એક બનાવ મંગળવારે ધ્રાંગધ્રા તાલુકાના ધ્રુમઠ ગામ પાસે આવેલ ચોકડી પાસે બન્યો હતો.

જેમાં 65 વર્ષીય માતા સુશીલાબેન પ્રેમજીભાઇ ગડા અને 43 વર્ષીય અશોકભાઇ પ્રેમજીભાઇ ગડા મુંબઈથી વતન કચ્છમાં રહેતી દીકરીને મળવા જઇ રહ્યા હતા. તે દરમિયાન ધ્રુમઠ ચોકડી પાસે કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં કારમાં બેઠલા માતા સુશીલાબેનનું પુત્ર અશોકભાઇની નજર સામે મોત નિપજ્યું હતું. જ્યારે અશોકભાઇ ઘાયલ થતા ધ્રાંગધ્રાની સરકારી દવાખાનામાં પ્રાથમિક સારવાર બાદ ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ અકસ્માત સર્જી ટ્રકચાલક ટ્રક મુકી ફરાર થઇ ગયો હતો. જ્યારે હાઈ-વે પર ટ્રાફિકજામ સર્જાયો હતો.

આ ઘટનાની જાણ થતા એલએનટી કપનીના વિક્રમસિંહ પરમાર, અજીતભાઈ, રઉફભાઈ, ગઢવીભાઈ વાહીદભાઈ, વિજયસિંહ, તેમજ તાલુકા પોલીસ ધીરૂભા, વિજયસિંહ, માગીલાલા અને સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયા હતા. જ્યાં 2 કલાકની મેહનત બાદ ટ્રાફિક ક્લિયર થયો હતો. મૃતકના પરિવારજનો આવ્યા બાદ અકસ્માતનો ગુનો નોધવામાં આવશે.

You cannot copy content of this page