Warning: file_exists(): open_basedir restriction in effect. File(/opt/a2-optimized/wordpress/Optimizations.php) is not within the allowed path(s): (/www/wwwroot/deargujarat.com/:/tmp/) in /www/wwwroot/deargujarat.com/wp-content/plugins/a2-optimized-wp/A2_Optimized_OptionsManager.php on line 22
પત્નીએ પતિના મિત્ર સાથે સંબંધો બાંધ્યા, પતિ રડી પડ્યો, પછી આવ્યો ધ્રુજાવી દેતો અંજામ - DEAR GUJARAT

એક ખૂબ જ આઘાતજનક અને શોકિંગ બનાવ બન્યો છે. એક યુવાને પત્નીની આડાસંબંધથી કંટાળી યુવકે રાત્રે ફાંસો ખાઈ આપધાત કરી લીધો હતો. પતિના મોતની જાણ થતા જ ઘરે પહોંચી પત્નીએ પેટ્રોલ છાંટી પોતાની જાત જલાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ઘટના સ્થળે પહોંચેલી પોલીસને યુવકે લખેલી એક સુસાઈડ નોટ મળી આવી હતી. જેમાં તેની પત્નીના પ્રેમી (સાગર બાબા) અંગે લખ્યું હતું કે, પત્ની અને પુત્રને મળવા માટે તેના પગે પડ્યો પણ તેણે પત્ની અને દીકરાને મળવા દીધા ન હતી. સાગર બાબાએ મારા જીવન બરબાદ કરી નાખ્યું હતું. હું સાગર બાબા અને મારી પત્નીના કારણે આપઘાત કરી રહ્યો છું. બંનેના વર્ષ 2014માં પ્રેમ લગ્ન થયા હતા. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અને સાગર બાબા કોણે છે તે અંગે પોલીસ તપાસ કરી રહી છે.

માતાને દીકરો લટકતી હાલતમાં મળ્યો
આ બનાવ મધ્યપ્રદેશનો છે. રાજધાની ભોપાલના ટીટી નગર વિસ્તારમાં જૈન મંદિરની સામે પીએચઈ કોલોનીમાં રહેતા અક્ષય સોમકુંવર ઉર્ફે ગોલુ પિતા સૂર્યભાન સોમકુંવર (ઉ.વ.26) વલ્લભ ભવનનો લિફ્ટ ઓપરેટર હતો. ગુરુવારની રાતે જમ્યા બાદ તે પોતાના રૂમમાં જતો રહ્યો હતો. રાતના લગભગ સાડા બાર વાગ્યે તેની માતા કુસુમબાઈની નજર પડી તો તે લટકી રહ્યો હતો. માતાએ તાત્કાલિક પાડોશીઓની મદદથી જેપી હોસ્પિટલ લઈને પહોંચી હતી. જોકે, ત્યાં મૃત જાહેર કરાયો હતો. તેણે પત્નીની સાડીથી જ ફાંસો લગાવી આપઘાત કરી લીધો હતો. શુક્રવારે સવારે અક્ષયની પત્ની સુધાને પતિના મોતની જાણ થઈ હતી. તે ઘરે પહોંચી અને ટેરેસ પર પહોંચી ગઈ હતી. જ્યાં તેણે પેટ્રોલ છાંટી નીચે રૂમમાં આવી હતી અને લાઈટરથી આગ લગાવી દીધી હતી. સાસુ કુસુમબાઈ અને સંબંધીઓ આગ બુઝાવી તેને બચાવી લીધી હતી. તેની હાલ લહાલત નાજુક છે.

દીકરાને પણ આગ લગાવવાની પ્રયાસ કર્યો
સુધાએ આગ લગાવ્યા બાદ પોતોના ચાર વર્ષના દીકરીનો પણ આગ લગાવવાની પ્રયાસ કરી રહી હતી. તે દીકરીને પોતાની તરફ ખેંચી રહી હતી. દરમિયાન પરિવારજનોએ બાળકને બચાવી લીધો હતો. અક્ષયના ભાઈ નિલેશે જણાવ્યું હતું કે સુધાના કારણે જ તેના ભાઈએ આપઘાત કર્યો છે. ભાઈએ સુધાના પ્રેમી અંગે સુસાઈડ નોટ પણ ઉલ્લેખ કર્યો છે. જોકે, પોલીસે પરિવારજનોને સુસાઈટ નોટ વાંચવા માટે પણ આપી નથી.

મિત્રતા કરી મિત્રની પત્નીની નજીક આવ્યો
અક્ષય અને સાગર બંને મિત્ર છે. અક્ષય દ્વારા જ તેની પત્ની સાથે સાગરે લુકાત કરી હતી. ત્યારબાદ સાગર અને સુધાની મુલાકાતો વધી જતા અક્ષયને તેના પર શંકા ગઈ હતી. જેને લઈને પત્ની અક્ષયને હેરાન કરવા લાગી હતી.અક્ષય જ્યારે પણ પત્નીને આ અંગે કહે તો તે સાગરની ધમકી આપતી હતી. અને ધમકીના કારણે જ ઘણીવાર ઝઘડાઓ થતા હતા.

7 ઓક્ટોબરે પત્ની પતિને છોડી જતી રહી
અક્ષયના મોટા ભાઈ નિલેશે જણાવ્યું હતું કે હું અલગ રહું છું અને તેનો ભાઈ અક્ષય માતા સાથે રહેતો હતો. અક્ષયે 2014માં સુધા શુક્લા નામની યુવતી સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. સુધા અને અક્ષયને ચાર વર્ષોને એક દીકરો છે. ત્રણ-ચાર મહિનાથી અક્ષયની પત્નીનો પ્રેમ સંબંધ નજીકમાં રહેતા સાગર નામના યુવક સાથે બંધાયો હતો. આ વાતથી અક્ષય કંટાળી ગયો હતો. અક્ષયની પત્ની 7 ઓક્ટોબર નવરાત્રિના પહેલા દિવસે જ ઘરેથી દીકરીના લઈને સાગર પાસે જતી રહી હતી. તે પંચશીલ નગરમાં તેની સાથે રહેતી હતી.

હાથની નસ કાપવાની જાણ થયા બાદ ઘરે આવી
અક્ષય પત્નીને કોલ કરતો હતો, પણ તે પરત આવી રહી ન હતી. આ વાતથી દુખી થઈને ચાર દિવસ પહેલાં અક્ષયે ફાંસો ખાઈ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. તે સમયે માતાએ તેને બચાવી લીધો હતો. બીજા દિવસે અક્ષયે હાતની નસ કાપી લીધી હતી. આ વાતની જાણ થતા પત્ની દીકરા સાથે ઘરે પરત આવી ગઈ હતી. એક દિવસરહ્યા બાદ ફરી સાગર પાસે જતી રહી હતી. તે દીકરાને પણ સાથે લઈને ગઈ હતી. ત્યારબાદ અક્ષયે પત્નીને ફરી ઘરે આવવા આજીજી કરી પણ તે પરત ફરી નહીં.

 

You cannot copy content of this page