ઈન્દોર શહેર માટે મંગળવારનો દિવસ બહુ જ યાદગાર હતો. કારણ કે શહેરીજનો બે વર્ષ પછી રંગપચંમી મનાવવા માટે ઉમટી પડ્યા હતાં. શહેરના રસ્તાઓ પર લગભગ 5 લાખથી પણ વધારે લોકો રંગ ઉડાળતાં મસ્તી સાથે ડાન્સ કરતાં જોવા મળ્યા હતાં. તે દરમિયાન એક દુખદ ઘટના સામે આવી જેને લઈને ચારે બાજુ માતમ છવાઈ ગયો. કારણ કે એક પતિ-પત્નીની વચ્ચે ઝઘડો થયો હતો જે એટલી હદે વધી ગયો કે તેનું પરિણામ ખૌફનાખ આવ્યું. પતિએ પહેલા પોતાની પત્નીને મોબાઈલના ચાર્જર કેબલથી ગળુ દબાવીને હત્યા કરી નાખી ત્યાર બાદ પતિ પોતે આત્મહત્યા કરી લીધી.
જોકે, આ દુખદ ઘટના ઈન્દોરના દ્વારકાપુરી વિસ્તારમાં મંગળવારે સાંજે બની હતી. ઠેકેદારનું કામ કરનાર રંજીત પિચોરવાલે પહેલા તો મોબાઈલ ચાર્જર કેબલથી પત્ની સંતોષી બાઈની હત્યા કરી નાખી હતી. ત્યાર બાદ તેણે પણ રૂમમાં પંખા પર લટકીને આત્મહત્યા કરી લીધી હતી. તમને જણાવી દઈએ કે, દંપત્તિએ મર્યા પહેલા પોતાની એક સેલ્ફી લીધી હતી જે હવે છેલ્લી સેલ્ફી બની ગઈ.
દુખદ વાત એ છે કે, તે સમયે દંપત્તિના બાળકો રંગપંચમી રમવા માટે ઘરની બહાર ગયા હતાં. પરંતુ જ્યારે ઘરે પરત ફર્યા તો તેમના માતા-પિતા મરી ગયા હતાં. માતાનો મૃતદેહ બેડમાં પડ્યો હતો અને પિતા પંખા પર લટકી રહ્યા હતાં માસૂમે માતાની છાતી પર હાથ પછાડતાં-પછાડતાં બૂમાબૂમ કરી મુકી, પરંતુ માતા ઉઠી નહીં તો તેમણે પાડોશમાંથી બધાંને બોલાવ્યા હતાં. ત્યાર બાદ પતિ-પત્નીનો હોસ્પિટલ લઈ ગયા હતાં પરંતુ હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ બન્નેનું મોત નિપજ્યું હતું. રંગાયેલા બાળકોએ માતા-પિતાના મોતથી બૂમાબૂમ કરી મુકી જ્યાં હાજર સૌ કોઈ જોઈન કંપી ઉઠ્યા હતાં. મૃતક દંપત્તિને પુત્ર સૌરભ અને પુત્રી નિધી છે. બન્ને રંગપંચમી પર મિત્રોની સાથે હોળી રમવા ગયા હતાં.
પોલીસને ઘટનાસ્થળે એક ડાયરી મળી હતી જેના એક પેજ પર સુસાઈડ નોટ લખેલી હતી. મૃતક રંજીતે આ નોટ પેન્સિલથી પોતાના મજુરોની હાજરી પુરવાવાળી ડાયરીમાં લખી હતી. જેમાં યુવકે લખ્યું હતું કે, પોતાની પત્નીના ચારિત્ર્યને લઈને લાંબા સમયથી પરેશાન હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, બન્નેની વચ્ચે આ વાતને લઈને લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો. બન્નેની વચ્ચે બહુ લાંબા સમયથી તણાવની વાત પણ સામે આવી છે.