Warning: file_exists(): open_basedir restriction in effect. File(/opt/a2-optimized/wordpress/Optimizations.php) is not within the allowed path(s): (/www/wwwroot/deargujarat.com/:/tmp/) in /www/wwwroot/deargujarat.com/wp-content/plugins/a2-optimized-wp/A2_Optimized_OptionsManager.php on line 22
પરિણીતાએ હવસ મિટાવવા ચલાવ્યું ચક્કર, શાલથી સગી દીકરીનું મોં દબાવી ને લાશ જંગલમાં ફેંકી દીધી - DEAR GUJARAT

એક ધ્રુજાવી દેતો બનાવ હાલમાં સામે આવ્યો હતો. જેમાં રોંગ નંબર પર વાત કરતાં કરતાં 25 વર્ષીય પરિણીતાને 45 વર્ષના યુવક સાથે પ્રેમ થઈ ગયો હતો. બંને એકબીજાની શરીરની જરૂરિયાત પણ પૂરી કરતા હતા. પ્રેમમાં અંધ બની ગયેલી મહિલા દીકરીને લઈને પ્રેમી સાથે ભાગી ગઈ હતી. એટલું જ નહીં બાદમાં મહિલાએ પોતાની 4 વર્ષની દીકરીનું ગળું શાલથી મોં દબાવીને હત્યા કરી હતી. ત્યાર બાદ લાશને જંગલમાં ફેંકી આવ્યા હતા. પોલીસે મહિલા અને તેના પ્રેમીની પોલ ખોલી નાખી હતી.

રાજસ્થાનના કોટા ગ્રામીણ પોલીસમાં ચાર વર્ષીય માસૂમની હાલમાં થયેલી હત્યાનો ઘટસ્ફોટ થયો છે. હત્યાના આરોપમાં માતા ને પ્રેમીની ધરપકડ કરવામાં આવી છે. બંનેએ ચાર વર્ષીય નંદીનીની શાલથી મોં દબાવીને હત્યા કરી હતી. ત્યારબાદ લાશને સરિસ્કાના જંગલમાં ફેંકી આવ્યા હતા. પોલીસે ટીના ઉર્ફે પુષ્પા અને પ્રેમી પ્રહલાદ સહાયની ધરપકડ કરી છે.

રોંગ નંબરથી પ્રેમમાં પડ્યાઃ એસપી શરદ ચૌધરીએ કહ્યું હતું કે બોરખેડા ગામમાં સુમિત નામના યુવાન સાથે તેની પત્ની ટીના ઉર્ફે પુષ્પા (25) રહેતી હતી. દરમિયાન એક વખત ટીનાથી ભૂલથી પ્રહલાદ સહાય (45) નામના યુવાનને ફોન લાગી ગયો હતો. ત્યારબાદ બંને મોબાઇલમાં એકબીજા સાથે વાત કરવા લાગ્યા હતા. બંને એકબીજાના પ્રેમમાં પડ્યા હતા. પ્રહલાદના કહેવાથી ટીના ચાર વર્ષીય દીકરીને લઈ જયપુર ભાગી હતી

પતિએ ફરિયાદ કરી હતીઃ ટીનાના પતિ સુમિતે પોલીસમાં પત્ની ને દીકરી ગુમ થયાની ફરિયાદ લખાવી હતી. ફરિયાદ પર પોલીસે કાર્યવાહી શરૂ કરી હતી. પોલીસને 5 મહિના પછી ગુમ ટીના જયપુરમાં હોવાની જાણ થઈ હતી.

પૂછપરછમાં ભાંગી પડ્યા: પોલીસે ટીનાને ચાર વર્ષીય નંદીની અંગે પૂછપરછ કરી હતી. ટીનાએ પહેલાં એમ કહ્યું હતું કે દીકરીને દાદા-દાદી પાસે મોકલી છે. જોકે, પોલીસે કડકાઈથી પૂછપરછ કરતાં તેણે કહ્યું હતું કે તેની હત્યા કરી નાખી છે. દીકરીને મારી નાખ્યા બાદ ઘરે આવીને ટીના ને પ્રેમી પ્રહલાદે કોઈ જાતનો અસામાન્ય વ્યવહાર કર્યો નહોતો. આસપાસના લોકોને એમ કહ્યું હતું કે દીકરીને દાદા-દાદી પાસે મૂકી આવ્યા છે.

દીકરીની સારવાર નહોતી કરવીઃ ટીના પ્રેમી સાથે રહેતી હતી. દરમિયાન નંદીની રમતા રમતા ધાબાની સીડીઓ પરથી પડી ગઈ હતી. ડૉક્ટરે ગંભીર ઈજા થઈ હોવાનું કહીને જયપુર સારવાર માટે લઈ જવાનું કહ્યું હતું. પ્રેમીને નંદીનીની સારવાર પાછળ પૈસા ખર્ચ કરવા નહોતા. તે જ રાત્રે બંનેએ સાથે મળીને માસૂમની હત્યા કરી નાખી હતી.

You cannot copy content of this page